અજવાળાંની નિશાળે ભણું છું..
તિમિર હું તેજ ફેંકીને હણું છું...
સંબંધોમાં અંધકારની તિરાડ પડી છે..
આશાના કિરણે હૈયે ઉજાસ ચણું છું...
પ્રકાશ સાથે હવે નિશાને ક્યાં ફાવે છે..?
ઉષાની ઊર્જામાં હૃદયે શાતા જણું છું...
બુંદો ને વીણવાની આદત નથી અમારી..
વર્ષાની હેલી માં પાણી ને લણું છું...
જગતના નાથની ક્યાંક ભૂલ આવી હશે...
એટલે જ જીવનના હિસાબો ગણું છું...jn
જે. એન. પટેલ (જગત)