પથ્થર પણ તરે છે જ્યારે લખાય છે રામ..
માણસ પણ ફરે છે જ્યારે થઈ જાય છે કામ...
તમને ચાહવાની એક આદત રહી છે ખરાબ..
નશો ચડી જાય છે જ્યારે ભરાય છે જામ...
શાંત ઝરૂખે વાટ ક્યાં જોવાય છે હવે તો..
મેદની પણ મળે છે બસ અપાય છે દામ...
દિલના બજારોના હવે ભરાતા નથી ક્યાંય મેળા..
પથ્થરને પૂજો બસ આપોઆપ રચાય છે ધામ..
આજે પણ લખવા ચાહો તો લખજો હુંડી પર.
ભરોસો કરે છે જગત જ્યાં લખાય છે નામ...jn
જે. એન. પટેલ (જગત)