ચારેક વર્ષ પહેલા મુંબઈની એક *ગુજરાતી મીડ વે સંસ્થા* દ્વારા મારો એક ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો જેનો વિષય હતો *સંગીત એક થેરાપી છે* ..
આપણે સૌ સાથે મળી અને આ થેરાપી ને માણી જ રહ્યાં છીએ...
સંગીતના માત્રને માત્ર ફાયદા જ છે ક્યારેય કોઈ ગેરફાયદો રહ્યો નથી...
સંગીત માં વાદન દ્વારા શ્રેષ્ઠ *એક્યુપ્રેશર* થાય છે.
સંગીત માં ડુબી જવાથી પોતાના *ટેન્સનથી* સો ટકા છુટકારો મળેછે.
કલાકાર જ્યારે સંગીત મય હોય છે ત્યારે સંપૂર્ણ *ધ્યાનસ્થ* હોય છે.
ગાયન દ્વારા શ્રેષ્ઠ *પ્રાણાયામ* થઈ જાય છે. તે પણ સહજતાથી.
સારા તથા સુંદર ધ્વની થી *આત્મા પુષ્ટ* થાય છે
કારણ કે સંગીત *આત્મા* નો ખોરાક છે.
સંગીતના નાદ થી *આધિ વ્યાધિ ને ઉપાધિ* મટે છે.
વિશ્વ આખા માં રહેલી બધા જ પ્રકારની *એનર્જી* , સંગીત ના ધ્વની થી વશીભુત છે.
સંગીતની પુષ્ટિ માણસને તન મન અને ધનથી *તૃપ્ત* કરે છે.
સંગીત માણસને ક્યારે *એકલવાયું* થવા દેતું નથી.
અને એટલે જ કદાચ આપણા *શાસ્ત્રકારો* પણ આમ જ કહી ગયા છે...
: नाद आधिनम् जगत सर्वम् :
: राग आधिनम् देवम् सर्वम् :
જે. એન. પટેલ (જગત)
🙏🏻🎤❤️🎤❤️🎤🙏🏻