Monday, February 21, 2022

મારામાં હું...

 આજ ફરીથી 'હું'કારને ભણવો છે..

કેમે કરીને અહંકારને હણવો છે...

ઋષિઓ એ આપેલા રાહે ચાલુ છું..

મારામાં જ એક માનવને જણવો છે...

નિર્ગુણ નિરાકારને ક્યાં ઓળખું..!

સગુણ સાકાર બેઠેલાને ગણવો છે..

ચિત્રગુપ્ત લઈ ભલે બેઠો હશે સઘળું...

સિંહાવલોકને કર્મનો મજલ ચણવો છે...

જગદીશનું જગત સમજવું સહેલું છે..

ફરી એકવાર મારા 'હું' ને ભણવો છે...jn

જે. એન. પટેલ (જગત)

Monday, February 7, 2022

સંગીત એક થેરાપી...

ચારેક વર્ષ પહેલા મુંબઈની એક *ગુજરાતી મીડ વે સંસ્થા* દ્વારા મારો એક ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો જેનો વિષય હતો *સંગીત એક થેરાપી છે* ..

આપણે સૌ સાથે મળી અને આ થેરાપી ને માણી જ રહ્યાં છીએ...

સંગીતના માત્રને માત્ર ફાયદા જ છે ક્યારેય કોઈ ગેરફાયદો રહ્યો નથી...

સંગીત માં વાદન દ્વારા શ્રેષ્ઠ *એક્યુપ્રેશર* થાય છે. 

સંગીત માં ડુબી જવાથી પોતાના *ટેન્સનથી* સો ટકા છુટકારો મળેછે.

કલાકાર જ્યારે સંગીત મય હોય છે ત્યારે સંપૂર્ણ *ધ્યાનસ્થ* હોય છે.

ગાયન દ્વારા શ્રેષ્ઠ *પ્રાણાયામ* થઈ જાય છે. તે પણ સહજતાથી.

સારા તથા સુંદર ધ્વની થી *આત્મા પુષ્ટ* થાય છે

કારણ કે સંગીત *આત્મા* નો ખોરાક છે.

સંગીતના નાદ થી *આધિ વ્યાધિ ને ઉપાધિ* મટે છે.

વિશ્વ આખા માં રહેલી બધા જ પ્રકારની *એનર્જી* , સંગીત ના ધ્વની થી વશીભુત છે.

સંગીતની પુષ્ટિ માણસને તન મન અને ધનથી *તૃપ્ત* કરે છે.

સંગીત માણસને ક્યારે *એકલવાયું* થવા દેતું નથી.

અને એટલે જ કદાચ આપણા *શાસ્ત્રકારો* પણ આમ જ કહી ગયા છે...

:  नाद आधिनम्  जगत सर्वम् : 

:  राग आधिनम् देवम् सर्वम् :

જે. એન. પટેલ (જગત)


🙏🏻🎤❤️🎤❤️🎤🙏🏻

વર્ષા....

આભના કુમકુમ વેરાયાની વાત છે..

વરસાદી ફોરાં જેવી મારી જાત છે...

ઘેરાયેલા વાદળ ને ઝાંઝવું બેઉ સરખા..

મુશળધારે પણ કિરણની મુલાકાત છે...

વરસાદી સ્પર્શમાં ઠુંઠાને પણ કૂંપળ ફૂટી..

જોયું ઈશ્વર એટલે જ કણકણમાં હયાત છે...

અંતરમાં આવ્યું એક નવું અંકુર ફુટવા..

ને પછી જાગવા જેવી આખી રાત છે...

જગતનો નાથ આવ્યો છે બુંદો બનીને...

સ્પર્શ માણું જીવન જાણું એ જ સૌગાત છે...jn


જે. એન. પટેલ (જગત)