માણસ છે એટલે ગમે ત્યારે ફરી શકે છે..
કુદરત છે એટલે ગમે ત્યારે વર્ષી શકે છે..
ઢાળમાં ઢળે વળાંકમાં વળે ને ચડાવમાં પડે.
માનવ સ્વભાવ આવું ગમે ત્યારે કરી શકે છે...
પવનને પણ થયું હશે કે ગરમી છે તો ટહેલુ..
વંટોળ બનીને આમ ગમે ત્યારે સરી શકે છે...
વૈશાખી વાયરાને ડીજેનો તાલ નહીં ગમ્યો હોય..
એમ માની વાદળ પણ ગમે ત્યારે ગરજી શકે છે..
માણસ નાચે તો વરઘોડો અને કુદરતનું વાવાઝોડું..
જગત પણ સમય સાથે ગમે ત્યારે ફરી શકે છે...jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment