Tuesday, February 19, 2019

વંદન...

🙏🏻🇮🇳સમગ્ર દેશવાસીઓને મારા
કૃતજ્ઞતા પૂર્વક નતમસ્તક વંદન🇮🇳🙏🏻
આજે નવરા બેઠા મનમાં એક વિચાર આવ્યો
અને અચાનક એ વિચારે મને વિચારમાં મૂકી દીધો..
અને હું એ વિચાર માંથી વધુ વિચારવા લાગ્યો...
14 ફેબ્રુઆરીએ જે ઘટના ઘટી એ ઘટનાએ
આખા દેશને દુઃખ માં મૂકી દીધો છે
આપણી લાગણીઓ, આપણો ભાવ,
દેશ અને દેશના રક્ષક પ્રત્યેનો આપણો પ્રેમ
હોવાથી આખો દેશ પોતાની કૃતજ્ઞતા
વ્યક્ત કરવા ગામે ગામ શ્રદ્ધાંજલિ આપે
ભગવાન પાસે એમના કર્મોને આધીન
ગતિ મળે એ માટે પ્રાર્થના કરે અને એમના
પરિવારને એમના સ્વજનોને શક્તિ આપે
એવી પ્રાર્થના આ દેશ નો નાગરિક
કરતો રહ્યો છે....
ખરેખર હૃદયથી એમને વંદન છે પણ
આજે જે વિચારે મને વિચાર માં મુક્યો
એ વિચાર એવો છે કે આપણે બધા ગામેગામ
પોત પોતાના ધંધા પોતાની દુકાનો
પોતપોતાના કામ એક દિવસ માટે આપણે
બધા જ બંધ રાખીએ છીએ આપણા
સૌની ભાવના ને નમસ્કાર છે. કોઈ ની ભાવનાને
ઠેસ વાગે એવું નથી વિચારતો પણ આપણે
સૌએ આપણા ધંધા બંધ રાખ્યા
આપણો વ્યવહાર બંધ રાખ્યો
આપણો વ્યવસાય બંધ રાખ્યો
એની જગ્યાએ આપણે
એક દિવસની કમાણી જે કંઈ પણ છે....
એક રૂપિયાથી લઈને સો, હજાર.. લાખ..
કરોડ... સુધીની જે પણ કંઈ છે એ કમાણી
એ જો આ શહીદોને એમના પરિવારને
અર્પણ કરી હોત તો કેવું..??
સમગ્ર ભારત વર્ષમાં એક વર્ગ એવો
પણ છે કે જે રોજેરોજ કમાય
અને રોજેરોજ એના ઘરનો ચૂલો
પ્રગટાવતો હોય છે... ક્યાંક આપણાથી દેશભક્તિના
ભાવમાં કંઈક છૂટતું તો નથી ને...??
દેશભક્તિ મારા દેખાવમાં હોય એ
સારી વાત છે.. પણ મારી વાણી
મારા વર્તન અને મારા વિચારોમાં
આવે તે 'જગત'ની શ્રેષ્ઠ વાત છે...
યોગ્ય લાગે તો આપ શેર કરી શકો છો..jn
જય હિન્દ જય ભારત..

1 comment: