Tuesday, April 10, 2012

JAAN વગર વિરહની વેદના સેહવાતી નથી...

મારુ પોતાનુજ મને કેમ કોઇ સમજતુ નથી...

દીલની વેદના કેમેય કરીને જાતી નથી...

આંખોના અમીને કેમેય કરીને રોકાતા નથી...

હતી જેમની ક્ષણે-ક્ષણ અમારા નામે,,,

તેઓ આજે એક પળ પણ આપી શકતા નથી...

જેમના મુખે હતુ ફક્ત અમારુ જ નામ,,,

તેઓ આજ એક હાક નાખી બોલાવતા નથી...

એક પળ પણ અળગો ના કરતા ,,,

અને આજે બોલાવેય પાસ આવતા નથી...

વગર પાનેતરે અમે તમારા એમ કેહનારા,,,

આજ મરણ શય્યાએ દેખાતા પણ નથી...

કેમ કરી જીવીશ આ ભિડભરી દુનિયામા,,,

JAAN વગર વિરહની વેદના સેહવાતી નથી.....jn

No comments:

Post a Comment