Thursday, February 23, 2017

હું..નથી...તો..!! ગઝલ...

આંખ લાગી છે છતાં સગપણ નથી..
આ નશીલી આંખની સમજણ નથી...

આદતો પણ જાણવા ક્યાંથી મળે..
જાત આખીનું મને વળગણ નથી...

સાવ મોળો હોય છે સંસાર પણ..
લાગણીમાં ભાવનું ગળપણ નથી...

જે મળ્યાં છે એ બધા બંધન હશે..
હું કહું છું કોઇ પણ અર્પણ નથી...

ખાખમાં માણસ બળીને તો ભળે..
કર્મને બાળી શકે, બળતણ નથી...

જીવતા જે જીવડો નડતો રહ્યો..
એમનું મૃત્યુ પછી તર્પણ નથી...

વાંચવાની ના ગમે જો આ ગઝલ..
તો જગતમાં આજથી 'હું' પણ નથી...jn

No comments:

Post a Comment