Monday, November 5, 2018

" દિપાવલી સંદેશ "


ભાવ જીવન, જીવનવિકાસની દ્રષ્ટિનો સંસ્કાર કરવાનો ઉત્સવ

(1)  ધનતેરસ  - લક્ષ્મીપૂજન
" પ્રભુ " આ સંપત્તિ તમારી છે. અને તે મારે જીવન વિકાસાર્થે વાપરવી છે. આ દ્રષ્ટિ જીવનમાં આવે તે લક્ષ્મીપૂજન
વિકૃત માર્ગે વપરાય તે  -  અલક્ષ્મી
સ્વાર્થમાં વપરાય તે  -   વિત્ત
પરાર્થે વપરાય  તે   -   લક્ષ્મી
પ્રભુ કાર્યાર્થ  વપરાય તે  -   મહાલક્ષ્મી

(2)  કાળી ચૌદશ  -  શકિતપૂજન
વિચાર કરવાનો દિવસ કે " મને મળેલ શકિત મેં યોગ્ય કાર્યમાં વાપરી કે ?
વિત્ત શકિત, બુધ્ધિશકિત, ભૌતિક શકિત યોગ્ય રીતે વપરાય છે. ?
પરપીડન માટે વપરાય તે  -  અશકિત
સ્વાર્થ માટે વપરાય તે  -  શકિત
રક્ષણાર્થે વપરાય  તે   -  કાલી
પ્રભુકાર્યાર્થ વપરાય તે  -   મહાકાલી

(3)  દિવાળી  -  જ્ઞાનપૂજન
     (શારદાપૂજનનો દિવસ)
વેપારી ચોપડાપૂજન કરે, સરવૈયું કાઢે, તેમ માણસે પણ જીવનનું સરવૈયું કાઢવું જોઈએ
રાગ - દ્વેષ, વેર - ઝેર, ઈર્ષા, આસુરી વૃત્તિ, વિગેરે કાઢીને
પ્રેમ, શ્રધ્ધા, ભાવ, સત્કાર્ય માટે નિષ્ઠા વિગેરે વધ્યા કે કેમ ?

(4)   બેસતુ વર્ષ  -  ધ્યેય પૂજન
નવા નિશ્ચયો, નવા સંકલ્પો, કરવાનો દિવસ
માણસ સંકલ્પ કરે કે મને મળેલા શ્વાસોશ્વાસમાંથી પ્રભુ કાર્યાથે વધારે શ્વાસોશ્વાસ વાપરીશ
આવા દૈવી સંકલ્પો જીવનમાં ઉભા થાય તે જ દિવાળી છે.
" પગ પકડવાના પ્રભુના અને પગ દોડાવવાના પ્રભુ માટે "

(5)   ભાઈ બીજ  - ભાવ પૂજન
ભાઈ બહેનના ભાવજીવનનો પરમોચ્ચ દિવસ
સમસ્ત સ્ત્રી જાતિ તરફ માં કે બહેનની દ્રષ્ટિએ સમાજ જોવા લાગશે તો સાચી ભાઈ-બીજ
થયેલી ગણાશે
સમાજમાં સ્ત્રી માટે જો માંગલ્ય અને પવિત્રપૂર્ણ દ્રષ્ટિ ઉભી થાય તો સદૈવ દિવાળી જ છે.

(પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનાં વિચારોમાંથી)

No comments:

Post a Comment