Saturday, October 12, 2019

લાગણીઓ...


અમારી ચૂપકીદી પર કેટલાય
લોકોના હજારો સવાલ હતા..
અમે જ જાણતા, અંદરના
તોફાનના ક્યાં જવાબ હતા...

મન પર થયેલા પ્રહારોના
ક્યાં કોઈ ઉઝરડા હતા...
હૃદયના ઘા ને ભરે એવા ક્યાં
કોઈ મલમ ભરનારા હતા...

રોજનો ક્રમ હતો એ બોલતા
અને અમે કાયમ સાંભળતા..
કોણ જાણે આજે પણ એમ જ
હતું છતાં કેમ અબોલા હતા...

મંજીલની ઝંખના ના એમને
કરી ના અમને પહોંચવું હતું..
એક જ રાહે ચાલે જતાં હતા
અલગ રાહ ના મુસાફર હતા...

જાણું છું આજે પણ એ જ
જગતમાં અટવાયેલા છે...
જ્યાં બંધ આંખોમાં જ
એમના સવાલના જવાબ હતા...jn

No comments:

Post a Comment