Saturday, May 1, 2021

ઐશ્વર્ય....

ચાલ હવે તો ખૂદને જાણી લઈએ..

જીવનને મન ભરીને માણી લઈએ...


જિંદગીનો ભરોસો ક્યાં રહ્યો છે..!!

ડોક્ટર પણ હાથ ઊંચા કરી રહ્યો છે..

અંદર બેઠેલા ઈશ્વરને જાણી લઈએ...


અંતર ના સગા હવે દૂર ભાગે છે..

સંબંધોમાં થોડી છૂટછાટ માગે છે..

સાથે છે જગદીશને પિછાણી લઈએ...


ઓક્સિજનની દોડાદોડ થઈ છે..

વૃક્ષમાં વસુદેવ ની સમજણ ગઈ છે...

કણ કણમાં કૃષ્ણને તાણી લઈએ...


લાચાર બની ગઈ છે આખીએ સત્તા..

ખોવાઈ ગઈ છે બધી જ પ્રતિષ્ઠા..

જગતને જોશ ભરે એ વાણી લઈએ...


ચાલ હવે તો ખૂદને જાણી લઈએ..

જીવનને મન ભરીને માણી લઈએ...jn


જે. એન. પટેલ (જગત)

No comments:

Post a Comment