Monday, February 7, 2022

સંગીત એક થેરાપી...

ચારેક વર્ષ પહેલા મુંબઈની એક *ગુજરાતી મીડ વે સંસ્થા* દ્વારા મારો એક ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો જેનો વિષય હતો *સંગીત એક થેરાપી છે* ..

આપણે સૌ સાથે મળી અને આ થેરાપી ને માણી જ રહ્યાં છીએ...

સંગીતના માત્રને માત્ર ફાયદા જ છે ક્યારેય કોઈ ગેરફાયદો રહ્યો નથી...

સંગીત માં વાદન દ્વારા શ્રેષ્ઠ *એક્યુપ્રેશર* થાય છે. 

સંગીત માં ડુબી જવાથી પોતાના *ટેન્સનથી* સો ટકા છુટકારો મળેછે.

કલાકાર જ્યારે સંગીત મય હોય છે ત્યારે સંપૂર્ણ *ધ્યાનસ્થ* હોય છે.

ગાયન દ્વારા શ્રેષ્ઠ *પ્રાણાયામ* થઈ જાય છે. તે પણ સહજતાથી.

સારા તથા સુંદર ધ્વની થી *આત્મા પુષ્ટ* થાય છે

કારણ કે સંગીત *આત્મા* નો ખોરાક છે.

સંગીતના નાદ થી *આધિ વ્યાધિ ને ઉપાધિ* મટે છે.

વિશ્વ આખા માં રહેલી બધા જ પ્રકારની *એનર્જી* , સંગીત ના ધ્વની થી વશીભુત છે.

સંગીતની પુષ્ટિ માણસને તન મન અને ધનથી *તૃપ્ત* કરે છે.

સંગીત માણસને ક્યારે *એકલવાયું* થવા દેતું નથી.

અને એટલે જ કદાચ આપણા *શાસ્ત્રકારો* પણ આમ જ કહી ગયા છે...

:  नाद आधिनम्  जगत सर्वम् : 

:  राग आधिनम् देवम् सर्वम् :

જે. એન. પટેલ (જગત)


🙏🏻🎤❤️🎤❤️🎤🙏🏻

No comments:

Post a Comment