Monday, February 21, 2022

મારામાં હું...

 આજ ફરીથી 'હું'કારને ભણવો છે..

કેમે કરીને અહંકારને હણવો છે...

ઋષિઓ એ આપેલા રાહે ચાલુ છું..

મારામાં જ એક માનવને જણવો છે...

નિર્ગુણ નિરાકારને ક્યાં ઓળખું..!

સગુણ સાકાર બેઠેલાને ગણવો છે..

ચિત્રગુપ્ત લઈ ભલે બેઠો હશે સઘળું...

સિંહાવલોકને કર્મનો મજલ ચણવો છે...

જગદીશનું જગત સમજવું સહેલું છે..

ફરી એકવાર મારા 'હું' ને ભણવો છે...jn

જે. એન. પટેલ (જગત)

No comments:

Post a Comment