જ્યારથી તિરંગામાં એક રંગ વધુ જોયો છે...
આઝાદીનો એક એવો રંગ અમે ખોયો છે...
એક આખો મલક લોહિયાળ બની રહે છે...
ચિચિયારીના નાદમાં રક્તની નદી વહે છે...
શહીદી વહોરી છે કે પછી દુશ્મન બની મર્યો છે..
આજ ઘરનો ખૂણો ખાલી આંખોમાં ભર્યો છે...
સત્તાની એવી કેવી લાલચ એને જાગી છે...
ઘરની દિવાળી આજે હોળી બની ભાગી છે...
જીવ જગત ને જગદીશ કોણ સમજાવે છે..
એ જ જે માનવમાં ગૌરવને જગાવે છે...jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment