કંઈક કરતાં કેટલાય લોકો કહે છે કે હું જિંદગીને માણી રહ્યો છું..
કારણ એક જ જીવનની સાથે હું જિંદગીને ચાહી રહ્યો છું...
ભાવસાગરને તરવાવાળા કેટલાય લોકો મજદારે જઈ થાકે છે..
કારણ એક જ હું આનંદ નગરના રસ્તાનો રાહી રહ્યો છું...
નથી સમજાતું દુખ એકલતાનું છે કે પછી બીજો આવે એનું છે..!
કારણ એક જ ઈશ્વર મોકલે એ મળે તે સમજી ચાલી રહ્યો છું..
સર્જન કરવું કે વિસર્જન કરવું એ નિમિત બનવા જેવી વાત છે..
કારણ એક જ વાંસ સમુ પોકળ છે જીવન ને વાગી રહ્યો છું...
જગત આખું મથ્યા કરે છે જગદીશ ને પામવા આમ તેમ..
કારણ એક જ હું જગદીશને કણ કણમાં પામી રહ્યો છું...jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment