જિંદગી જ્યાં એક પુર્ણવિરામ મૂકી જાય છે..
ત્યાંજ જાણે આશ્ચર્ય સાથે અર્થ બદલી જાય છે...
પ્રેમની વ્યાખ્યા જીવનભર જાણવી ના હોય તો,,,
આવતા અંકે શરત લાગું લખાઈ જાય છે...
લાગણી ઉભરાય ત્યારે આ જીવન વ્યર્થ બને..
ને પછી તાજા કલમ લખતા ખીલી જાય છે...
હા વિરહ આવે ભરોસો તૂટવા પણ લાગશે,,
ત્યાં હવે જીવન ને અલ્પવિરામ લાગી જાય છે...
શું કહું હું આ જગત આખા ને કાંઇક તો કહું..
તોય પી.ટી.ઓ. કહી આગળ લખાઈ જાય છે...jn
No comments:
Post a Comment