Friday, February 26, 2016

અવતાર...ગઝલ...

માનવીના મન સુધી જે પ્હોંચવા ફાવ્યાં હશે..
અવતરણ કરતા જ તેઓ એકલા ચાલ્યાં હશે..!!

કર્મના બંધન હશે, એ જાણવાની જરુર ક્યાં..!!
જે હશે તે ચોપડે ચિત્રગુપ્તજી લાવ્યાં હશે...!!

એક યુગ આખો જે પલટાવી ગયા એ ઋષિઓ..
જોશ સાથે એમના અરમાન દફનાવ્યા હશે..!!

વિધિ લખેલા લેખમાં પણ મેખ મારી ચાલતાં..
સાવ સામાન્ય બની માનવને બદલાવ્યાં હશે..!!

ભોમ છે ભારત તણી માથે ચડાવી રેતને..
આ "જગત"માં આમ અવતાર થઇ પૂજાયા હશે..!!".jn

No comments:

Post a Comment