Wednesday, May 11, 2016

માંડવીયાનો થનગનાટ...

આ સૌ કવિઓને કહેજો કોઇ જાનમા ના આવે..
અને આવે તો માથાની દવા પણ સાથે લાવે...

વરના બાપને કહેજો એમને કવિતા ના ગવડાવે..
અને ગવડાવે તો કહેજો બઉ રમજટ ના જમાવે...

જાનૈયાને શેરવાની ને વુડલેન્ડના બુટ પહેરાવે..
જાનમાં સૌને ઘોડે બેસાડી વરને સ્કેટીંગ પહેરાવે...

કવિઓ નાહકનું જ્યાં ત્યાં મન ના ભટકાવે..
વર વધુને જોઇ ખોટી કલ્પનાઓ ના દોડાવે..

કવિઓ એ કન્યાદાન ફરજીયાત કરવાનું રહેશે..
રોકડની સાથે એક સોનાનો દાગીનો પણ ચડાવે...

વિદાય ટાણે સૌ એ ફરજિયાત રડવાનું રહેશે..
જો કોઇ નહી રડે તો કન્યાને કોઇ નહી વળાવે...

જોયું ને કેવું વિચારે છે કવિઓ માટે આ જગત..!
એટલે કહું છું તમે સૌ જજો અમારા માંથી કોઇ નૈ આવે...jn

No comments:

Post a Comment