આપણે આપણી આસપાસ ઘણીવાર
સાંભળીએ છીએ કે સંસ્કૃત ભાષા
એ દેવોની ભાષા છે...
એ પવિત્ર ભાષા છે...
શબ્દોનું શુધ્ધીકરણ આ ભાષામાં છે...
પણ કેમ...??
એના માટે કોઇ કારણ ખરું..??
જવાબ આપણા બધાની પાસે છે... હા...
પણ કારણ...!! તો જવાબ ના...
મારી સમજણ પ્રમાણે એક કારણ આપું...
સંસ્કૃત ભાષા જે લોકો બોલે છે એમના
માટે પૃથ્વી એક પરિવાર છે...
આ વસુંધરા ને જાણે વસુધૈવ કુટુંબકમ્ બનાવવાની એક લગન છે...
અને અંગ્રેજી બોલવા વાળા લોકો માટે
વિશ્વ એક વેપાર છે...
પરિવારમાં પ્રેમ હોય છે ને
બજારમાં વેપાર...
પાયામાં જઇ મૂળ ને જાણીશું તો
તરત સમજાશે કે આપણી
માતૃભાષા સંસ્કૃત છે...
માટે જ કહું છું આ "જગત"માં
માઁ ના ધાવણ પછી
જો કોઇ શ્રેષ્ઠ ટોનીક હોય તો એ
માત્ર ને માત્ર માતૃભાષા છે...Jn
No comments:
Post a Comment