Thursday, January 17, 2019

હે કૃષ્ણ...

करिश्ये वचन‍‌ं तवः નો ટંકાર કરવો છે..
दिने दिने नवं नवं નો રણકાર કરવો છે...

નરસિંહ અને મીરાના ભાવને યાદ કરી..
परसपरमभावयंतं નો સાકાર કરવો છે...

હૈયામાં હામ રાખી, હૃદય માં રામ રાખું છું..
ममैवांशो जीवलोके નો હ'કાર કરવો છે...

હું બની શકું છું, કરી શકું છું ને લડી શકું છું..
उद्धरेदात्मनात्मानं નો જ'કાર કરવો છે...

पांडवानां धनंजयः હવે તો બનવું છે મારે...
नष्टो‌ मोहः કહી જગતનો ઉદ્ધાર કરવો છે...jn

No comments:

Post a Comment