Wednesday, March 11, 2020

સમય...

અર્થના અનર્થ કરી જાય છે..
વ્યર્થ વાતો ઘર ભરી જાય છે..

એક ઘા ને બે કટકા થતાં ઘડીમાં..
મુખેથી શબ્દો જ્યાં સરી જાય છે..

હુંડી પર ભરોસા ક્યાંથી કરે..
લખેલા લખાણે ફરી જાય છે..

જાત ઘસીને પૂજાય છે કોણ..?
મુરાદોમાં તારા થૈ ખરી જાય છે..

જોયા છે જગતમાં આજે પણ..
રામના નામે પત્થર તરી જાય છે...jn

No comments:

Post a Comment