Wednesday, April 22, 2020

ભારત વિર... ગઝલ

જીંદગીનો પણ ભરોસો કયાં રહ્યો છે...
વાયરસ કયાંથી એ કોરોના ખર્યો છે...

ઉંબરે આવી ઉભુ છે મોત કે પછી..
માનવીને  તોડવા  પ્રપંચ  કર્યો  છે...

કોખમાં માઁ ભારતીની ભલભલો પણ..
જાત  આખી સાથ  લાવી  મર્યો છે...

કાંઈ તો છે  તપ કે એના જેવુ  કંઈક..
એટલે જ એ કૃષ્ણ અવતરીને ફર્યો છે...

વેદ ગીતા ઉપનિષદનું  આ જગત  છે...
સોળ વર્ષનો બાળ મોતની સામે ધર્યો છે..jn

No comments:

Post a Comment