વૈભવ આજે હેલીએ ચડ્યો છે...
વિચારોનો જાણે દુષ્કાળ પડ્યો છે...
ભોગી રોગી ને જોગીનો જમાનો છે...
ગૌતમ બનીને હવે કોણ લડ્યો છે..
કહેવાતો સંસ્કૃતિનો વાહક ભલો..
ભીષ્મ મસ્તીની સૈયાએ ચડ્યો છે..
ઈતિહાસ પણ એનો જ લખાય છે...
ઈશ્વરે જ જેને ફુરષદથી ઘડ્યો છે..
અસ્મિતા તેજસ્વીતા ક્યાં છે જગતમાં..
મસ્તીમાં મસ્ત માણસ અંદરથી સડ્યો છે...jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment