શતાબ્દી મહોત્સવ...
ઋષિઓ કેરી રાહે ચાલ્યો..
ધર્મ તણો એ રક્ષક બન્યો.
આનબાન શાન છે જેની
સનાતની જે થઈને ગવાયો..
પથ્થરને પાટુ એ મારે
પેદા કરવાનું જે જાણે...
અહંકારનો ઝભ્ભો મેલી
સૌને સાથે લઈને ચાલે...
રમતાં રમતાં જીવન જીવે..
ભોલો થૈ ઝેરના ઘૂંટ પણ પીવે..
ભારત ભરની ભોમ આવે..
નાના મોટા સૌ ને લાવે...
જીવ જગત જગદીશને જાણ્યા
સંબંધોની જે સમજણ પામ્યા..
સનાતની સૌ ભેળા મળીને..
શતાબ્દી મહોત્સવ કરવા આવ્યા..jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment