જીવન છે જીવવા જેવું મને ન સમજાયું...
મોત તો છે માણવા જેવું મને ન સમજાયું...
શ્રદ્ધા પૂર્ણ છે ઈશ્વરમાં શંકાને સ્થાન નથી..
મંદિરમાં દેવ પૂજવા જેવું મને ન સમજાયું...
સૃષ્ટિનો ચાહક છું વેદોનો પણ વાહક છું...
માણસે માણસ થવા જેવું મને ન સમજાયું...
કર્મોમાં પણ ગણિત જેવું કંઈક હોય છે...
ઝેર પી શંકર બનવા જેવું મને ન સમજાયું...
હું જ અંશ હું જ વંશ ને હું જ અવતાર..
જગતમાં મને જ મળવા જેવું મને ન સમજાયું...jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment