Wednesday, May 24, 2023

સ્નેહમિલન...

સ્નેહમિલન તો એક બહાનું હતું સ્નેહીજનોને મળવાનું..

જાણતો જ હતો મળ્યા પછી કોઈ ક્યાં ચાહે પાછા ફરવાનું...

ખુશીઓના ખાબોચિયા ક્યાંક મળતા અને આજે દરિયો ભર્યો..

વહેતી રહી લાગણીઓ સાથે લઈને ક્યાં કોઈ ભરવાનું..

એક એક ચહેરાને અનન્ય ઉત્સાહથી છલકતા જોયા છે..

હસતા ચહેરા એ છલકતી આંખે પાછા વળવાનું...

સમયને બાંધવો તો પણ ક્યાં કોઈની પાસે એવો રસ્સો હતો..

ટેકનોલોજીના માધ્યમથી ક્યાં ચૂક્યા છે કોઈ એને કેદ કરવાનું...

જગદીશનું જગત આજે ત્યાં જ અટવાયેલું છે સ્નેહમિલનમાં..

ઈશ્વર ચાહે વરસ ક્ષણમાં ચાલ્યું જાય ને થાય ફરી મળવાનું..jn


જે. એન. પટેલ (જગત)

No comments:

Post a Comment