અહંકાર ન જાગે એવો અંદરથી જગાડજે..
તારા જ તાલે ને તારી જ ચાલે ભગાડજે...
ભોગી રોગીને જોગી બનીને બેઠો માનવ..
સંસ્કૃતિના રક્ષણ કાજે રણસિંગા વગાડજે..
વળાંકે વળે ઢાળમાં ઢળે ને ચડાવવામાં પડે..
હણાઈ ગયેલા માનવના માનવ્યને જગાડજે...
નિસ્તેજ ને યંત્રવત્ બની રહી ગયું છે જીવન..
હૃદયથી હૃદયમાં બેઠેલા રામને હવે રમાડજે...
અવતાર થૈ અવતરણ કરવું જ રહ્યું તારે..
અંશ બનીને જગતને આજે કામે લગાડજે...jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment