Sunday, July 16, 2023

કૃષિ વિકાસ ખાતર બિયારણ...

 *ખેડ ખાતર ને પાણી વરસાદને લાવે તાણી..* ખૂબ જૂની કહેવત છે અને બધાએ સાંભળી પણ હશે.

કોઈપણ પાકને સારામાં સારી રીતે તૈયાર કરવો હોય તો પાયાની સૌથી મહત્વની વાત હોય તો તે યોગ્ય પદ્ધતિ તેના પછી યોગ્ય બિયારણ અને ત્યારબાદ તેની માવજતના સ્વરૂપે સમયાંતરે ખાતર અને જરૂરી દવાઓ છે...

આજે મોટાભાગના ખેડૂતો *રાસાયણિક ક ખાતર* નો વપરાશ કરતા હોય છે પણ ખરેખર જોઈએ તો તે કેટલો યોગ્ય છે.?

લાંબા સમયગાળે આ ખાતરો જમીનને અને જમીનની *ફળદ્રુપતા* ને બંનેને નુકસાન કર્તા છે.

પહેલાના સમયમાં જોઈએ તો *છાણીયા ખાતર* અને *સડેલા ખાતર* જ એટલે કે *જૈવિક ખાતર* વાપરવામાં આવતા હતા.

આજે પણ ધીરે ધીરે એ તરફ આપણે પાછા વળી રહ્યા છીએ, કારણ *રાસાયણિક દવાઓ અને ખાતરથી કેન્સર* જેવા ભયાનક રોગોના પ્રમાણ પણ વધ્યા છે એટલે હવે ધીરે ધીરે *સજીવ ખેતી* વિક્ષિત થવા લાગી છે.

 *જૈવિક* ખાતરોમાં જોઈએ તો *છાણીયું* ખાતર, *સડેલા* કચરામાંથી બનાવવામાં આવેલું ખાતર, *અળસિયાના મળ* માંથી બનાવવામાં આવેલું ખાતર તેમજ *બેક્ટેરિયા* દ્વારા બનાવવામાં આવતા ખાતરો જેવા કે *ફૂગ* છે *પોટાશિકા* છે તે સિવાય પણ ઘણા બધા ખાતરો આજે જોવા મળે છે જેનો વપરાશ દરેક ખેડૂત મિત્રોએ કરવો જ જોઈએ.

આપણા પકાવેલા પાકમાંથી સમાજ સુખી થાય અને નીરોગી રહે તે મારો *રાષ્ટ્રપ્રેમ* અને સાથે સાથે આ *ધરતીની કૃતજ્ઞતા* વ્યક્ત કરવાનો અવસર પણ છે..

આગળ આપણે બિયારણની વાત કરીએ તો...

અત્યારે બજારની અંદર ઘણા બધા બિયારણો જોવા મળતા હોય છે અને પ્રથમ ગ્રેડ બીજો ગ્રેડ એવી રીતે *ગ્રીડિંગ* પણ થતા હોય છે.

એવું કહેવાય કે જે ઈમારતનો પાયો નબળો હોય તે ઇમારત લાંબી ન ટકે. એવું જ બિયારણમાં પણ છે કે જો *બિયારણ નબળું* વાપરીશું તો તેના છોડને ગમે એટલી માવજત કરીશું ગમે તેવા સારા ખાતરો કે દવાઓનો છંટકાવ કરીશું તો પણ તે છોડનો વિકાસ જોવે એવો નહીં થાય એટલે કે બિયારણ સારી કંપનીનું હોય વિશ્વાસુ વ્યક્તિઓ પાસેથી લેવું જરૂરી છે.

મારો પોતાનો પણ અનુભવ કહું તો ઘણા વર્ષો પહેલા મેં પોતે પણ *જૈવિક ખાતરનો* પ્રોજેક્ટ બનાવેલો છે. વિશ્વમાં *અળસિયાની લગભગ 1400 જેટલી પ્રજાતિઓ* છે તેમાની શ્રેષ્ઠ પ્રજાતિ એટલે કે *એનેશિયા ફટીડા.* આ પ્રજાતિનો મળ એ ખાતરના સ્વરૂપમાં ખેતરમાં નાખવામાં આવતો હોય છે અને લાંબે ગાળે ખેતરમાં અળસિયા નો *ઉપદ્રવ* ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ જાય છે જેથી કરી એક સમય એવો આવે કે તે જમીનમાં કે ખેતરમાં ખાતરની જરૂરિયાત રહેતી જ નથી. આને લઈને ખેડૂતને સૌથી મોટો ભાર જે ખર્ચનો હોય છે તે શૂન્ય થઈ રહે છે.

 *GSFC* જેવી મોટી કંપનીઓ પણ અત્યારે યુરિયાના ઉપર *લીમડાની લીંબોળીનું દ્રાવણ* બનાવી એને કોટેડ કરે છે એટલે કે *નીમ કોટિંગ* કરીને તે ખાતર ખેતરમાં વાપરવામાં આવે તો લાંબા સમય સુધી ખેડૂતને પરિણામ મળે છે તે ખાતર *ધીરે ધીરે જમીનમાં રિલીઝ* થાય છે તેને લઈ પાકની અંદર સારી અસર પણ દેખાય છે.

અત્યારે હાલ જોવા જઈએ તો બેક્ટેરિયા ઉછેર માટે નવા *બેક્ટોફાર્મ* ઘણા બધા વધી રહ્યા છે જ્યાં કુત્રિમ રીતે *કુદરતી બેક્ટેરિયા* અને ઉછેરવામાં આવે છે જેને *લિક્વિડ* સ્વરૂપે, *પાવડર* સ્વરૂપે કે છૂટા *દાણાના* સ્વરૂપે અલગ અલગ રીતે તેનો ગ્રોથ વધારવામાં આવે છે અને આવા *બેક્ટેરિયાનો* ઉપયોગ *જૈવિક ખેતી નિર્માણ* કરે છે અને *જૈવિક પાકના બજાર* ધીરે ધીરે હવે વિસ્તૃત થઈ રહ્યા છે રસાયણીક ખાતરના ઉત્પાદન અને જૈવિક ખાતરના ઉત્પાદનથી જે પાક તૈયાર થાય છે તેમાં *જૈવિક પાકના સારામાં* સારા ભાવ અત્યારે હાલ બજારમાં જોવા મળે છે. 

સમજવા માટે *રાસાયણિક ખાતરના ઘઉં* લઈએ તો લગભગ 500 રૂપિયાની આસપાસના ભાવ હોય છે જ્યારે *સંપૂર્ણ જૈવિક ઘઉંનો* ભાવ લગભગ 1100 રૂપિયાની આસપાસ રહે છે.

છેલ્લે એટલું જરૂર કરીશ કે વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસેથી અને અનુભવી ખેડૂત પાસેથી યોગ્ય જાણકારી લઈ બિયારણ, ખેતીની પદ્ધતિ અને સાથે સાથે સમયાંતરે યોગ્ય ખાતર અને પાણીનો કેવી રીતે વપરાશ કરવો તે જાણી યોગ્ય આયોજન કરીએ તો સારામાં સારો પાક અને સારામાં સારું વળતર એ આ *ભૂમિ પુત્રને* એટલે કે *ધરતી પુત્રને* મળી રહે છે..

જે. એન. પટેલ (જગત)

No comments:

Post a Comment