માણસ છે થોડો અતિરેક તો કરશે..
સાલસ છે સૌને લગીરેક તો નડશે...
મફતિયા વૃતિ તો ઘર કરી ગઈ છે..
બીજું મળે કે ના મળે ઈશ્વર તો જડશે..
કર્મોનું ગણિત પણ કોને આવડે છે..!
બાકી જે છે ચિત્રગુપ્ત ગુપ્ત તો ભરશે...
ઈશ્વરને આવવું હોય તો ભલે આવે..
શ્રદ્ધામાં જ હવે અંધશ્રદ્ધા તો ભળશે...
જગતની જવાબદારી ને કોણ લેશે..!
મારાથી જ મારામાં મારો હું તો મળશે...jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment