*जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।।*
કહેવાય છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ વહાલી હોય છે.
રામાયણ કાળમાં જ્યારે શ્રીરામ લંકા ઉપર વિજય મેળવે છે અને તે દરમિયાન સમગ્ર રાજપાઠ વિભિષણજીના હાથમાં સોંપે છે ત્યારે લક્ષ્મણજી પ્રશ્ન કરે છે ત્યારે લક્ષ્મણજીને શ્રી રામ કહે છે આ સુવર્ણમય લંકાને શું કરીશું આપણે અને એનું એક જ કારણ કે જનની અને જન્મભૂમિની *ધરા એને સાદ કરે છે.*
માણસ ગમે ત્યાં જાય પુરી દુનિયા ફરે ત્યારે જન્મભૂમિની *ધરા એને સાદ કરે* અને અંતે દુનિયાનો છેડો એને માત્ર ને માત્ર ઘર જ દેખાય.
અને એમાં પણ વળી મારા જેવા તો કુદરતના ખોળામાં વસતા હોય પછી તો પૂછવું જ શું..?
અહીંયા તો ફેફસાને ફૂલીને ઊંડા શ્વાસ લેવાનું મન થાય છે.
ખુલ્લા પગે આ ધરતીમાં ડગલા માંડવાનું મન થાય છે.
સાત સમંદર પાર જઈને ભલે કોઈ બેઠો હોય પણ જ્યારે જ્યારે તેને નાની સુની પણ કોઈ મુસીબત આવે ત્યારે ત્યારે એ આ *ધરતીને સાદ કરે છે.*
શહીદ ભગતસિંહ જેવા વિરો હસ્તે મુખે જ્યારે ફાંસીના માંચડે લટકવા જાય છે ત્યારે આ *ધરતીને સાદ કરીને* કહે છે તારું ઋણ ચૂકવવા ફરીથી તારા ખોળામાં અવતરણ કરીશ. આવા વીરોના બલિદાનને આ *ધરતી સાદ કરે છે.*
વંદન છે આ ધરાને જ્યાં અવતારો થનગન્યા છે નાચ્યા છે.
આજે પણ કહું છું કે માતાના ધાવણ પછી આ *જગતમાં* જો કોઈ શ્રેષ્ઠ ટોનિક હોય તો તે માતૃભાષા અને માતૃભૂમિનો પ્રેમ છે..jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment