ક્યારેક આનંદ કરતા કરતા પણ થાક લાગે છે..
ક્યારેક પુણ્ય કરતા કરતા પણ પાપ લાગે છે...
સ્વજનોને સમય આપવો જ પડે છે સમય સાથે..
સમજણ ના હોય તો સંબંધોમાં પણ કાપ લાગે છે...
પોતિકા પણું હોય ત્યાં આનંદ આનંદ જ હોય છે..
ક્યારેક આશીર્વાદ આપવામાં પણ શ્રાપ લાગે છે...
લાગણીઓ ભલે ગમે એટલી ભીની ભીની હોય...
ક્યારેક બધું જ આપવા છતાંય અમાપ લાગે છે...
જગતમાં પારકા અને પોતાના કોને કહી શકાય..
ક્યારેક પોતાના કહેવાતાના પ્રેમનો તાપ લાગે છે...jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment