દમ ઘૂંટી જાય છે જ્યારે કોઈ આવવાનું કહી રહી જાય છે...
જગત થંભી જાય છે જ્યારે કોઈ આવવાનું કહી રહી જાય છે...
કેટલા અરમાનો લગાવેલા હોય છે એમને આવીને મળવાના..
સમણા તૂટી જાય છે જ્યારે કોઈ આવવાનું કહી રહી જાય છે...
એમનો અહેસાસ માત્ર આનંદ ઉમંગ ને ઉત્સાહમાં રાખે છે...
જીવન છૂટી જાય છે જ્યારે કોઈ આવવાનું કહી રહી જાય છે...
રાહ જોવી અને તડપવું એમાં કંઈ હવે નવું નથી રહ્યું...
આશા તૂટી જાય છે જ્યારે કોઈ આવવાનું કહી રહી જાય છે...
જગતની ઝંખનામાં એમની ઝંખના પણ કાંઈ ઓછી નથી એ સાચું...
શ્વાસ ખૂટી જાય છે જ્યારે કોઈ આવવાનું કહી રહી જાય છે...jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment