Sunday, February 16, 2014

પ્રભુનો પ્રેમ .....

માનવ એ માનવ નથી મુક્તિનું ધામ છે...
એટલે જ તો મારા શ્વાસ એને નામ છે...

કરેલુ એ કર્મ કોઈ વેઠ નથી કર્મયોગ છે...
મળેલો વૈભવ વિત્ત નથી પ્રભુનો પ્રસાદ છે...

મળવું ના મળવું અકસ્માત નથી બંધન છે...
મળ્યાં પછીએ છુટા પડવું એ સમજણ છે...

આવેલી એ આફત *આફત* નથી કસોટી છે...
કસોટીને પાર પાડવી એ પ્રભુનો સ્પર્શ છે...

જગતમાં મારું મારું કરવું એ ભોગ છે...
તેમ છતાંય હું તો કહું, એ કર્મનુ બંધન છે...jn.

જે એન પટેલ (જગત)

No comments:

Post a Comment