વાત રહી ગઈ છે કહેવાની હવે છત્રછાયા..
હકીકતમાં તો છે સંસારની માત્ર માયા...
રામાયણ મહાભારત ક્યાં છે કૃષ્ણ દર્શન..?
જો હોય તો લાવ ક્યાં એવા પાત્ર આવ્યા..!!
પરબ બાંધતા પણ ક્યાં કોઈ પાણી પીતું..!
ને આજે પરબના પાણી પડીકે લાવ્યા...
યુવાની વેચાય છે માત્ર પડીકા ને પોટલીમાં..
એટલે જ તો બેઠા બેઠા નેતા ફાવ્યા...
જગત બગડ્યું કહેવામાં કોનું શું જાય છે..!
બગડેલાને સુધારે, ક્યાં છે એવી છત્રછાયા..?..jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment