હું શ્રદ્ધાથી પૂજુ છું ને તમને સાક્ષાતકાર જોઈએ છે...
હું અહેસાસો માં જોવું છું ને તમને આકાર જોઈએ છે...
હું પથ્થરમાં પણ પરમેશ્વર ભાળી વંદન કરવા વાળો છું..
ને એ મંદિરમાં પણ જુઓ તમને ચમત્કાર જોઈએ છે...
બુદ્ધિજીવી બુદ્ધિવાદી કે બુદ્ધિનિષ્ઠ હું કદાચ નહીં હોવું..
જીવતો જાગતો ભગવાનન પણ તમને નિરાકાર જોઈએ છે...
સ્થિતપ્રજ્ઞ બની ચિત્તને ઈશ્વરમાં ચોંટાડવુ ક્યાં ફાવશે..
મંદિરમાં ઘંટારવ સાથે તમને હાહાકાર જોઈએ છે...
મનના મંદિરમાં આકાર નિરાકાર ચમત્કાર ને હાહાકાર છે...
ને બંધ આંખોમાં અમારો તમને સાક્ષાત્કાર જોઈએ છે...jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment