Monday, May 25, 2020

સદા સેવ્ય કૃષ્ણ...

મોરનો ટહુકો સાંભળ્યો છે જ્યારથી વનમાં..
કંઈક કરતાં કેટલાય તરંગો ઉઠ્યા છે મનમાં...

ગેલી થાય છે ગોકુળની ગોપીઓ અને ગાયો..
વૃક્ષો પણ હાજરી પુરાવી જાય છે પવનમાં...

વૈકુંઠવાસી જ્યાં વસ્યો હોય એ વનરાવનમાં..
કીડીના ઝાંઝર ને મહેકે કાવેરીનું નિર કવનમાં...

કૃષ્ણની વાંસળી વાગે છે ગોકુળની ગલીઓમાં..
બધો જ શોર સમી જાય છે એના અમનમાં...

કૃષ્ણ લાગે છે વહાલો ને સેવા કરવા યોગ્ય..
જગતમાં હજારો શીશ જુકે છે નમનમાં...jn

જે. એન. પટેલ  (જગત)

No comments:

Post a Comment