Monday, July 26, 2010

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને
સાચવવા નથી પડતા..

* વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી
બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…

* માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો
હોય તો તેને સતાસ્થાને બેસાડો.

* જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે
પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!

* જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ
નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી
વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!

* દરેક માણસ પાસે એક
એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી
શકે.

* મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને
જાણે છે ,
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી
જાઓ છો.

jnpatel

No comments:

Post a Comment