વિજ્ઞાનને કથા કહું કળા કહું કે આશીર્વાદ કહું..
જીવન ને જીવનની દરેક પળમાં એના વિના કેમ રહું..
ઉપગ્રહ છોડી શકું છું પણ પૂર્વગ્રહ નથી છોડી શકતો..
સાથ જોઈએ છે બીજાનો છતાંય એકલતાએ રહું..
ટેકનોલોજી નો ગુલામ બનીને બેસી રહ્યો છું..
ને બીજાને શિખામણ ના નામે સલાહ સૂચન કહું..
મંદિરની ભક્તિ હવે યંત્રોમાં વેચાઈ રહી છે..
શ્રદ્ધા ખોવાઈ ગઈ છે હું અંધશ્રદ્ધામાં અટવાઈ રહું..
વિજ્ઞાનની કથાઓ ચોપડામાં મઢાઈને રહી ગઈ છે..
જગત ના સમજે ઋષિઓનો રાહ તો કોને કહું...jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment