Saturday, November 13, 2010

ઘર વસ્યા પછી કેટલા હસ્યા?


દિલના દર્દોને પીનારો શુ જાણે, પ્રેમ ના રિવાજો ને જમાનો શું જાણે,
છે કેટલી તકલીફ કબરમાં, તે ઉપરથી ફૂલ મૂકનારો શું જાણે!

જીવનમા જસ નથી, પ્રેમમાં રસ નથી;
ધંધામાં કસ નથી, જાવુ છે સ્વર્ગમાં, પણ એની કોઈ બસ નથી

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી!

ડૂબતા જીવનનાં તમે શ્વાસ છો, કહુ કેમ કે તમે કઈક ખાસ છો;
તમે ફૂલ નહીં પણ જમીન પર ઊગતા ઘાસ છો, સાચુ કહુ, તમે એક મોટો ત્રાસ છો.

લોકો કહે છે કે - હસ્યા તેના ઘર વસ્યા!
પરંતુ એ કોણ જાણે છે કે - ઘર વસ્યા પછી કેટલા હસ્યા?...............jn

No comments:

Post a Comment