Saturday, June 26, 2010

જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શુર

જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શુર
નહિંતર રે'જે વાંઝણી મત ગુમાવીશ નૂર.

મને કોઈ ના કહે એ કામ કરવું ગમશે,
પણ કોઈ પ્રેમથી કહે તો વિચારીશ.

મને કોઈ તરછોડે તો વારંવાર જવું ગમશે,
પણ કોઈ દિલથી બોલાવે તો વિચારીશ.

મને કોઈ નફરત કરે તેની નફરત ગમશે,
પણ કોઈ પ્રેમ કરે તો આપવામાં વિચારીશ.

મને કોઈ તેનું’lable’લગાવે એ ગમશે,
પણ કોઈ મિત્રતા આપે તો વિચારીશ.

‘મને’ આ શબ્દ આમતો આપણને લગું પડે,
પણ ક્યારેક’મને’ને આમ તો ભુલી જવાય છે.

લખી લેજો હથેળી મા નામ મારું,
સ્નેહ ના દેશ મા છે ધામ મારું,
કોક દિવસ જો તરસ લાગે તમને,
તો હથેળી થી પાણી પીતાં યાદ આવશે નામ મારું.
jnpatel

No comments:

Post a Comment