Tuesday, June 15, 2010

30 દિવસમાં તંદુરસ્તી'

' 30 દિવસમાં તંદુરસ્તી'
30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે.


* ચિંતા કરવી છોડી દો - માનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા ન કરો - સમય અને શક્તિનો વ્યય થાય છે
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો - આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો - તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો - તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો - તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* થોડો સમય એકાંતમાં ગાળો - તમારું દુઃખ હળવું થશે.
* એક અંતરંગ મિત્ર બનાવો - જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો - કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો - તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો - તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો - એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો - એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો - એ તમારી અંદર છે.
* સુખની પાછળ દોટ ન મૂકો - એ તમારી પાસે જ છે.
* સમય ન વેડફો - મહામૂલી જણસ છે.
* અંધકારથી નિરાશ ન થશો - બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
* દરેકને પ્રેમ કરો - તમને બમણો પ્રેમ મળશે.
* શ્રદ્ધા રાખો - તમે બધું જ કરી શકો છો.
* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો - ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.
* વ્યવહારુ બનો - સુખનો રાજમાર્ગ છે.
* ગુસ્સો સંયમિત કરો - એ ભયાનક બને છે.
* મૃદુભાષી બનો - દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.
* ઊંચું વિચારો - ઉન્નતિના શિખરે લઈ જશે.
* અથાક પરિશ્રમ કરો - મહાન બનવાનો કિમિયો છે.
* સર્જનાત્મક બનો - મુખાકૃતિ સુંદર લાગશે.
* હસતા રહો - પડકારનું તકમાં રૂપાંતર થશે.
* તમારી ભાષા પર કાબૂ રાખો - તમારા ચારિત્ર્યનું દર્પણ છે.
* ભય ન રાખો - ઈશ્વર હંમેશા સાથે જ છે.
* રોજ ચિંતન કરો - આત્માનો ખોરાક છે.

દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.



Mahesh Pokar


No comments:

Post a Comment