હું અને મારી કવિતાઓ ...તારી કલ્પનાઓની.....
Wednesday, October 13, 2010
શું થવાનું ?
ઝીંકો જો ઘાવ
જળમાં તો જળ ને શું થવાનું ?
તડકા ની આવ-જા થી વાદળને શું થવાનું ?
ભીના
પતંગિયા કે ઈચ્છા નું હો સરોવર …
સઘળું લખી જવાથી કાગળને શું થવાનું ?
આંખો
માં જઈ અચાનક પળ માં વળે જે પાછા..
સપના ઉગાડવાથી કાજળ ને શું થવાનું ?
કંઈ
કેટલાં મુકામે પહાડ-ખીણ-કોતર..
નદીમાં આવવાથી ખળખળ ને શું થવાનું ?
વંટોળીયા
સામે પડે કે તોફાન સૂસવે
સૂર્યના વલયને ઝળહળ ને શું થવાનું ?
jn
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment