આપણે ત્યાં વિખવાદ વધારે અને સંવાદ ઓછા છે.
ઘરમાં સૌથી ઓછી બોલતી વ્યક્તિને કોઇકવાર સાંભળવાનો પ્રયત્ન કરવા જેવો છે.
ઘણું બધું અને ઘણું સરસ બહાર આવશે
. આપણા સમાજમાં આમન્યા, વિવેક, મર્યાદા વગેરેના નામે અનેક બંધનો છે.
પરિણામે દીકરો બાપ સામે ખુલીને વ્યક્ત નથી થતો.
પત્ની આખી જિંદગી મૂંગા મોઢે મૂંઝાયા કરે છે
. દીકરી ન બોલ્યામાં નવ ગુણ જેવી કહેવતને
વાગોળતાં વાગોળતાં આંસુઓ બધા અંદર ઉતારી જાય છે.
આ બધા પાછળનું સૌથી મોટું કારણ અભિવ્યક્તિનો અભાવ છે.
આપણી કેળવણી લખવા આધારીત રહી છે.
આપણું કુટુંબજીવન વાણી સ્વાતંત્રયના અભાવમાં અટવાય છે
એટલે વૈચારિક વેન્ટિલેશન થતું જ નથી
અને પરિણામે મનમાં જન્મતા ક્રોધ, વિચાર, ચિંતા, બીક, લાગણી, નફરત
વગેરે બધું માણસની અંદર ધરબાઇ જાય છે.
jn
No comments:
Post a Comment